આગ અને પ્રક્રિયક જોખમ :-
જવલનશીલ મયાર્દામાં કયારેક આગ પણ લગાડી શકે છે, ધડાકો કરી શકે છે.
ઢોળાવાનું અને ગળતરનુ જોખમ :-
માટી તેમજ રેતી વડે ઢોળાયેલા પ્રવાહીને પ્રસરતુ રોકો, તેને વાયુમાં રુપાતંર થવા દો. આગ લાગવાનો, ધડાકો થવાનો, અને વાયુના ગોટા થવાનો ખુબ જ ભય રહેલો છે.
પ્રાથમિક સારવાર :-
ભોગ બનેલી વ્યકિતને શુદ્વ હવામાં લઇ જાઓ. પાણીની વરાળનો નાશ આપવો. આંખમાં પડે તો ખુબ જ પાણીથી ધુઓ તથા તાત્કાલિક દાકતરી સારવાર મેળવો. ભીંજાયેલા કપડા કાઢી નાંખીને શરીર પાણીથી ધુઓ. જો દર્દી પોતે શ્વાસ ન લઇ શકતો હોય તો કુત્રિમ શ્વાસોચ્છવાસ કરાવો. શુદ્વપાણીથી ચામડી ધુઓ.
કલોરીન ગેસ (CI2)
(1) આ વાયુ લીલાશ પડતા પીળા રંગનો છે. જે જોઇ શકાય છે. (ર) આની ગંધ તીવ્ર છે. (3) હવા કરતા ભારે છે જેથી જમીન પર નીચે ફેલાય છે. (4) આંખમાં, નાંકમા, ગળામાં ચચરાટ થાય છે. (પ) થી (ર3) નંબર સુધીના સાવચેતીના સામાન્ય પગલાં ઉપર મુજબ છે.
સ્વાસ્થયલક્ષી જોખમ :-
લાંબો સમય શ્વાસમાં જવાથી ગુંગળામણથી મૃત્યુ પણ નીપજાવી શકે છે. આંખમાં, નાકમાં, અને ગળામાં ચચરાટ થાય છે. શ્વાસમાં જવાથી માથુ દુખવુ, ખાંસી આવવી, છાતી તેમજ શરીરમાં દુખાવો વગેરે મુશ્કેલી ઉભી થાય છે.
આગ અને પ્રક્રિયક જોખમ :-
આગનુ જોખમ સામાન્ય છે. ટપેર્ન્ટાઇન, એમોનીયા, હાઇડ્રોકાર્બન વગેરે સાથે પ્રતિકિયાથી આગ લાગે છે. તેમજ ધડાકો કરી શકે છે.
ઢોળાવાનું અને ગળતરનું જોખમ :-
શ્વાસોચ્છવાસની પ્રકિયાને રક્ષણ આપે તેવા તેમજ બીજા સુરક્ષાના ઉપકરણો જેવા કે ગમ બુટ, ગોગલ્સ, હેલમેટ, પીવીસી સુટ વગેરેનો ઉપયોગ કરવો.
પ્રાથમિક સારવાર :-
ભોગ બનેલી વ્યકિતને ખુલ્લી હવામાં લઇ જાઓ કલોરીન થી ભીંજાયેલા કપડાંકાઢી નાખીને શરીર પાણીથી ધુઓ. જો દર્દી પોતે શ્વાસ ન લઇ શકતો હોય તો કુત્રીમ શ્વાસોચ્છવાસ કરાવો. શુદ્વ પાણીથી ચામડી ધુઓ, આંખમાં પડે તો ખુબ જ પાણીથી ધુઓ તથા તાત્કાલિક દાકતરી સારવાર મેળવો.
(૩) ઓલિયમ ગેસ :-
(1) આ વાયુ સફેદ પડતા રંગનો છે અને તીવ્ર વાસ ધરાવતો સલ્ફયુરીક એસીડ અને મુકત સલ્ફર ટ્રાયોકસાઇડનું ઘટ્ટ ભેજ શોષક મિશ્રણ છે. તે ધુમાયમાન સલ્ફયુરીક એસીડ તરીકે પણ ઓળખાય છે. (ર) તેની બાષ્પ આરોગ્યને ખુબ જ હાનીકર્તા અને દાહક હોય છે. (3) હવા કરતા ભારે હોવાથી જમીન પર એકત્ર થવાની કોશીશ કરે છે અને નુકશાન પહોંચાડે છે. (4) તે પાણી અને આલ્કલી સાથે ધડાકાભેર પ્રકીયા કરે છે અને પુષ્કળ પ્રમાણમાં ગરમી પેદા કરે છે. (પ) થી (ર3) નંબર સુધીના સાવચેતીના સામાન્ય પગલાં ઉપર મુજબ છે.
સ્વાસ્થ્યલક્ષી જોખમ :-
ઓલિયમ એ આરોગ્ય હાનીકર્તા અને દાહક પદાર્થ છે. ચામડી સાથે સંપર્ક થવાથી ચચરાટ તથા આંખમાં બળતરા થાય છે. તેમજ દાઝવાની ઇજા થાય છે. શ્વાસમાં જવાથી શ્વાસનળીમાં બળતરા થાય, નાક, ગળામાં બળતરા થાય, કફ થાય, શ્વાસ રૂધાંય, ઉલ્ટી થાય છે.
આગ અને પ્રક્રિયક જોખમ :-
તે જાતે સળગતો નથી પણ ધણી ધાતુઓ સાથે પ્રકિયા કરે છે. અને સળગી ઉઠે તેવો હાઇડ્રોજન વાયુ પેદા કરે છે. પાણી અથવા સ્ટીમ અને આલ્કલી સાથે ધડાકાભેર પ્રકિયા કરે છે. અને પુષ્કળમાં ગરમી અને આરોગ્ય ને હાનીકર્તા / દાહક બાષ્પ ઉત્પન્ન કરે છે.
ઢોળાવાનું અને ગળતરનું જોખમ :-
ઢોળાયેલા ઓલીયમ ને લાઇમ અથવા સોડાએશ વડે ન્યુટ્રલાઇઝડ કરીને પુષ્કળ પાણીથી ધુઓ, લાકડાનો વહેર કોઇપણ સંજોગોમાં નાખવો નહી ઓલીયમ લીકેજ થયેલ જગ્યાએ સીધો પાણીનો છંટકાવ કરવો ફકત તેની વરાળ/ બાષ્પને છંટકાવ વડે આગળ વધતી અટકાવવી, ઓલીયમની વરાળથી બચવા શ્વાસોચ્છવાસની પ્રકિયાના રક્ષણ માટે રેસ્પીરેટરનો ઉપયોગ કરવો.
પ્રાથમિક સારવાર :-
ખુબ જ જલદ છે. શરીરના સીધા સંપર્કમાં ન આવે તેનો ખ્યાલ રાખો. તેનો ધુમાડો શ્વાસમાં ન લો. જો કોઇ વ્યકિતને ઓલીયમની વરાળ અથવા મિષ્ટ શ્વાસમાં જાય તો તે વ્યકિતને શુદ્વ હવામાં લઇ જાઓ.જો દરદી પોતે શ્વાસ ન લઇ શકતો હોય તો કુત્રિમ શ્વાસોચ્છશ્વાસ કરાવો. ખાંસી ચાલુ રહેતી હોય પ્રાણવાયુ આપો. ઓલીયમથી ભીજાયેલાં કપડાં કાઢી નાખીને શરીરને ખુબ જ પાણીથી ધુઓ. દાઝી ગયેલા ભાગને સારવાર આપો. અસર પામેલ ચામડીને પુષ્કળ પાણીથી ધુઓ. આંખમાં પડેલ હોય તો ખુબ જપાણીથી ધુઓ અને તત્કાલીક ડાકટરી સારવાર મેળવો. જો કોઇ વ્યકિત ઓલીયમ મોં વાટે ગળી ગયેલ હોય તો તથા તે વ્યકિતભાનમાં હોય તો પુષ્કળ પ્રમાણમાં પાણી અથવા દુધ આપો. ઉલ્ટી કરાવવાનો પ્રયત્ન કરવો નહીં.
આપ સૌ પ્રજાજનો માટે ના.સં.દલ ખડેપગે તૈયાર છે. સીવીલ ડીફેન્સનો માસ્ટર પ્લાન અમલમાં છે તે મુજબ તમામ વાર્ડન, પોસ્ટ વોર્ડન, ડીવીઝનલ વોર્ડન બાર સેવાઓના કમાન્ડીંગ ઓફીસર,રેસ્ક્યુટીમ, ફાયર ફાઇટીંગ ટીમ, અને કેજયુલીટી ટીમ કાર્યમાં સેવારત છે.