નાગરિક સંરક્ષણ
http://www.civildefence.gujarat.gov.in

નાગરિક સરંક્ષણ તંત્ર, ગુજરાત ગુજરાત રાજયની જનતા જો

6/15/2025 3:12:46 AM
નાગરિક સરંક્ષણ તંત્ર, ગુજરાત

 

ગુજરાત રાજયની જનતા જોગ

આપણે સૈ જાણીએ છીએ કે આપણી સૌની ભૌતિક સુખસગવડો ને પહોંચી વળવા અને દેશની ઉદાર ઔદ્યોગિક નીતીને કારણે આપણા દેશમાં ઉધોગો હરણ ફાળની જેમ વિકાસ પામી રહયા છે. અને તેમાંય આપણાંગુજરાતમાં સૌથી વધારે પ્રમાણમાં રાસાયણિક સંકુલો આવેલા છે.
 

આપણે વડોદરામાં આપણા જ વિસ્તારની વાત કરીએ તો બાજવા, કરચીયા, દશરથ, કોયલી ઉંડેરા અન્ે છાણી વિગેરેક ગામોની આજુબાજુ જી.એસ.એફ.સી. ગુજરાત રીફાઇનરી, આઇ.પી.સી.એલ., જી.એ.સી.એલ, હેવી વોટર જેવા મોટા રાસાયણિક સંકુલો આવેલા છે. તદઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અનેક રસાયણોનું પરીવહન થાય છે આ રાસાયણિક ઉધોગોમાં સુરક્ષાના તમામ પગલાં લેવા છતાં કોઇ વખત રસાયણોનું ગળતર થવું આગ અથવા ધડાકો થવો અથવા તો રોડ ઉપર રસાયણો ભરેલી ટેન્કરનું ઉથલી પડવું અથવા બીજા નાના મોટા અકસ્માત થઇ જતા હોય છે. આવા સમયે જે તે વિસ્તારના પ્રજાજનો ગભરાઇ જઇને, શું કરવુ શું ન કરવુ તેની વ્યથા અનુભવતા હોય છે. આવી હોનારત વખતે કયાં પગલા લેવા તે વિશેનું થોડુ પણ જ્ઞાન હોય તો તે સમાજને ખુબ ઉપયોગી થઇ પડે છે. અનેક માણસો અને મુંગા ઢોરઢાંખરના જાન બચાવી મોટો ઉપકાર કરી શકાય છે.
 

આગ અને આરોગ્યને હાનીકારક ગેસના ગળતર વખતે લેવાના સાવચેતીના પગલાં


રસાયણિક ઉદ્યોગોમાં જરૂરીયાત પ્રમાણે જુદા જુદા રસાયણો વપરાય છે રસાયણો તેના ગુણધર્મો પ્રમાણે જવલનશીલ, ઝેરી, જલદ અથવા નિષ્‍ક્રીય વાયુ પ્રકારના હોય છે. જવલનશીલ, પદાર્થો ઝડપથી આગ પકડે છે. જલદ પદાર્થ ચામડીના સંપર્કમાં આવે તો ચામડીને એકદમ નુકશાન પહોંચાડે છે. નિષ્કીય વાયુના લીકેજ વખતે આવા વિસ્તારમાં ઓકસીજનની અછત ઉભી કરે છે.
 

આગ અથવા ઝેરી ગેસના ગલતર જેવી રસાયણો ને લીધે ઉભી થતી હોનારત ને કંટ્રોલ કરતી વખતે જે તે રસાયણોના ગુણધર્મોને ધ્યાનમાં રાખવા જરુરી બને છે.રાસાયણિક પદાર્થને ઓળખ્યા વિના તેનીસાથે કામ કરવું ખુબ જોખમી બને છે. તેની સાથે કામ કરતા પહેલાં નાગરિક સરંક્ષણદળના દરેક સભ્યને તથા અન્ય મદદનીશ એજન્સીઓને આવા સમયે લેવામાં આવતા સામાન્ય સાવચેતીના પગલાંઓ વિશે માહિતી હોય તો તે ખુબ જ ઉપયોગી બને છે. અને પોતાનું રક્ષણ કરી શકે છે. તથા વધુ નુકશાન થતું અટકાવી શકે છે.

(1) એમોનિયા ગેસ (એન હાઇડસ) NH3 :-
 

(1) આ વાયુ રંગ વગરનો છે. જેથી આપણે જોઇ શકતા નથી. (ર) આની ગંધ તીવ્ર છે. (3) હવા કરતા હલકો છે. એટલે કે ઉંચે ઉડીને હવામાં મિશ્રીત થઇ જાય છે. (4) આંખમાં, નાકમાં, ગળામાં ચચરાટ થાય છે. (પ) ફાયરબ્રીગેડને જાણ કરો. ટેલીફોન નંબર-101- (6) જો આપબહાર હોતો નાક અને મોઢાં પર ભીનું કપડું કે રૂમાલ રાખવો વધુ લાભદાયી નીવડશે. (7) ગેસ ગળતરની દિશાથી જેટલુ દુર થઇ શકાય તેટલું જાઓ(8) પવન ની દીશા નકકી કરી, (જે ચીમનીના ધુમાડા, વરાળ, મંદીરની ધજા કે પછી પવનની દિશા સૂચક પરથી જાણી શકાય છે.) હવાની દીશાથી કાટ ખુણાની દીશામાં વધુ યોગ્ય રીતે આપ ગેસથી દુર જઇ શકશો. (9) દુર ઘટનાસ્થળથી બને તેટલી જલ્દી ઝડપી ચાલથી (દોડયા વિના અથવા કોઇપણ વાહનમાં શકય તેટલા દુર નીકલી જાવ અને કોઇ બંધ મકાનમાં આશરો લો. (10) જો આપ ઘરમાં હો તો મકાનના બારી બારણા બંધ રાખો. (11) આંખો અને મોઢું પુષ્કળ પાણીથી ધુઓ અને પહેરેલા કપડાં બદલી નાખોં. (1ર) બાંધેલા ઢોર ઢાંખર કે પાળેલા પ્રાણીઓને બંધનમાંથી મુકત કરો. (13) આપની સંપતિથી વધારે આપની ચિંતા કરો. (14) જો જગ્યા ખાલી કરવી પડે તો તૈયાર રહો તથા ઘરને તાળુ મારી બહાર આવીજાઓ. (1પ) સ્થિતિ નિયંત્રણ કરવામાં અગ્નિશામક તથા નાગરિક સરંક્ષણ દળના સભ્યોને મદદ કરો.(16) તમારા વિસ્તારમાં કરવામાં આવતી જાહેરાતો ધ્યાનથી સાંભળો અને તેનું ચુસ્તપાલન કરો. (17) અફવાઓ ઉપર ધ્યાન આપશો નહી તથા અફવાઓ ફેલાવશો નહી. (18) કોઇપણ સાર્વજનિક માર્ગમાં અવરોધ ઉભા ન કરો. (19) ગભરાવ નહી, શાંતચિત્ત રહો. (ર0) બીન જરુરી બધા જ લોકોને સ્થળ પરથી દુર કરો, વાહનોની અવર જવર અટકાવીદો. સંદેશા વ્યવહાર કરીને લાગતા વળગતા ઉદ્યોગને જાણ કરો. (ર1) ગળતર વાળી જગ્યાને કોર્ડન કરો તથા લોકોની અવર જવરને કંટ્રોલ કરો. (રર) આફત સમયે ગળતરની દીશામાં આવેલા સ્થળોમાં કામ કરતા લોકોને પણ થાળી ઢોલ વગાડીને જાણ કરો. (ર3) રેડીયો, ટીવી પરની સરકારી જાહેરાત ધ્યાનથી સાંભળો અને તેનુ ચુસ્ત પાલન કરીએ.
 

સ્વાસ્થ્યલક્ષી જોખમ :-
 

શ્વાસમાં ન જાય અને શરીરના સંપર્કમાં ન આવે તેનુ ધ્યાન રાખો, કયારેક જીવલેણ પણ નિવડે. આંખોમાં બળતરા થાય, ગુંગળામણ થાય, પાંપણો બંધ થાય, કફ ઊલ્ટી થાય એ એના લક્ષ્ણો છે.

આગ અને પ્રક્રિયક જોખમ :-

જવલનશીલ મયાર્દામાં કયારેક આગ પણ લગાડી શકે છે, ધડાકો કરી શકે છે.
 

ઢોળાવાનું અને ગળતરનુ જોખમ :-
 

માટી તેમજ રેતી વડે ઢોળાયેલા પ્રવાહીને પ્રસરતુ રોકો, તેને વાયુમાં રુપાતંર થવા દો. આગ લાગવાનો, ધડાકો થવાનો, અને વાયુના ગોટા થવાનો ખુબ જ ભય રહેલો છે.
 

પ્રાથમિક સારવાર :-
 

ભોગ બનેલી વ્યકિતને શુદ્વ હવામાં લઇ જાઓ. પાણીની વરાળનો નાશ આપવો. આંખમાં પડે તો ખુબ જ પાણીથી ધુઓ તથા તાત્કાલિક દાકતરી સારવાર મેળવો. ભીંજાયેલા કપડા કાઢી નાંખીને શરીર પાણીથી ધુઓ. જો દર્દી પોતે શ્વાસ ન લઇ શકતો હોય તો કુત્રિમ શ્વાસોચ્છવાસ કરાવો. શુદ્વપાણીથી ચામડી ધુઓ.
 

કલોરીન ગેસ (CI2)


(1) આ વાયુ લીલાશ પડતા પીળા રંગનો છે. જે જોઇ શકાય છે. (ર) આની ગંધ તીવ્ર છે. (3) હવા કરતા ભારે છે જેથી જમીન પર નીચે ફેલાય છે. (4) આંખમાં, નાંકમા, ગળામાં ચચરાટ થાય છે. (પ) થી (ર3) નંબર સુધીના સાવચેતીના સામાન્ય પગલાં ઉપર મુજબ છે.

સ્વાસ્થયલક્ષી જોખમ :-
 

લાંબો સમય શ્વાસમાં જવાથી ગુંગળામણથી મૃત્‍યુ પણ નીપજાવી શકે છે. આંખમાં, નાકમાં, અને ગળામાં ચચરાટ થાય છે. શ્વાસમાં જવાથી માથુ દુખવુ, ખાંસી આવવી, છાતી તેમજ શરીરમાં દુખાવો વગેરે મુશ્કેલી ઉભી થાય છે.

આગ અને પ્રક્રિયક જોખમ :-
 

આગનુ જોખમ સામાન્ય છે. ટપેર્ન્ટાઇન, એમોનીયા, હાઇડ્રોકાર્બન વગેરે સાથે પ્રતિકિયાથી આગ લાગે છે. તેમજ ધડાકો કરી શકે છે.

ઢોળાવાનું અને ગળતરનું જોખમ :-
 

શ્વાસોચ્છવાસની પ્રકિયાને રક્ષણ આપે તેવા તેમજ બીજા સુરક્ષાના ઉપકરણો જેવા કે ગમ બુટ, ગોગલ્સ, હેલમેટ, પીવીસી સુટ વગેરેનો ઉપયોગ કરવો.
 

પ્રાથમિક સારવાર :-
 

ભોગ બનેલી વ્યકિતને ખુલ્લી હવામાં લઇ જાઓ કલોરીન થી ભીંજાયેલા કપડાંકાઢી નાખીને શરીર પાણીથી ધુઓ. જો દર્દી પોતે શ્વાસ ન લઇ શકતો હોય તો કુત્રીમ શ્વાસોચ્છવાસ કરાવો. શુદ્વ પાણીથી ચામડી ધુઓ, આંખમાં પડે તો ખુબ જ પાણીથી ધુઓ તથા તાત્કાલિક દાકતરી સારવાર મેળવો.

() ઓલિયમ ગેસ :-

(1) આ વાયુ સફેદ પડતા રંગનો છે અને તીવ્ર વાસ ધરાવતો સલ્ફયુરીક એસીડ અને મુકત સલ્ફર ટ્રાયોકસાઇડનું ઘટ્ટ ભેજ શોષક મિશ્રણ છે. તે ધુમાયમાન સલ્ફયુરીક એસીડ તરીકે પણ ઓળખાય છે. (ર) તેની બાષ્પ આરોગ્યને ખુબ જ હાનીકર્તા અને દાહક હોય છે. (3) હવા કરતા ભારે હોવાથી જમીન પર એકત્ર થવાની કોશીશ કરે છે અને નુકશાન પહોંચાડે છે. (4) તે પાણી અને આલ્કલી સાથે ધડાકાભેર પ્રકીયા કરે છે અને પુષ્કળ પ્રમાણમાં ગરમી પેદા કરે છે. (પ) થી (ર3) નંબર સુધીના સાવચેતીના સામાન્ય પગલાં ઉપર મુજબ છે.

સ્વાસ્થ્યલક્ષી જોખમ :-

ઓલિયમ એ આરોગ્ય હાનીકર્તા અને દાહક પદાર્થ છે. ચામડી સાથે સંપર્ક થવાથી ચચરાટ તથા આંખમાં બળતરા થાય છે. તેમજ દાઝવાની ઇજા થાય છે. શ્વાસમાં જવાથી શ્વાસનળીમાં બળતરા થાય, નાક, ગળામાં બળતરા થાય, કફ થાય, શ્વાસ રૂધાંય, ઉલ્ટી થાય છે.

આગ અને પ્રક્રિયક જોખમ :-

તે જાતે સળગતો નથી પણ ધણી ધાતુઓ સાથે પ્રકિયા કરે છે. અને સળગી ઉઠે તેવો હાઇડ્રોજન વાયુ પેદા કરે છે. પાણી અથવા સ્ટીમ અને આલ્કલી સાથે ધડાકાભેર પ્રકિયા કરે છે. અને પુષ્કળમાં ગરમી અને આરોગ્ય ને હાનીકર્તા / દાહક બાષ્પ ઉત્પન્ન કરે છે.

ઢોળાવાનું અને ગળતરનું જોખમ :-

ઢોળાયેલા ઓલીયમ ને લાઇમ અથવા સોડાએશ વડે ન્યુટ્રલાઇઝડ કરીને પુષ્કળ પાણીથી ધુઓ, લાકડાનો વહેર કોઇપણ સંજોગોમાં નાખવો નહી ઓલીયમ લીકેજ થયેલ જગ્યાએ સીધો પાણીનો છંટકાવ કરવો ફકત તેની વરાળ/ બાષ્પને છંટકાવ વડે આગળ વધતી અટકાવવી, ઓલીયમની વરાળથી બચવા શ્વાસોચ્છવાસની પ્રકિયાના રક્ષણ માટે રેસ્પીરેટરનો ઉપયોગ કરવો.

પ્રાથમિક સારવાર :-

ખુબ જ જલદ છે. શરીરના સીધા સંપર્કમાં ન આવે તેનો ખ્યાલ રાખો. તેનો ધુમાડો શ્વાસમાં ન લો. જો કોઇ વ્યકિતને ઓલીયમની વરાળ અથવા મિષ્ટ શ્વાસમાં જાય તો તે વ્યકિતને શુદ્વ હવામાં લઇ જાઓ.જો દરદી પોતે શ્વાસ ન લઇ શકતો હોય તો કુત્રિમ શ્વાસોચ્છશ્વાસ કરાવો. ખાંસી ચાલુ રહેતી હોય પ્રાણવાયુ આપો. ઓલીયમથી ભીજાયેલાં કપડાં કાઢી નાખીને શરીરને ખુબ જ પાણીથી ધુઓ. દાઝી ગયેલા ભાગને સારવાર આપો. અસર પામેલ ચામડીને પુષ્કળ પાણીથી ધુઓ. આંખમાં પડેલ હોય તો ખુબ જપાણીથી ધુઓ અને તત્કાલીક ડાકટરી સારવાર મેળવો. જો કોઇ વ્યકિત ઓલીયમ મોં વાટે ગળી ગયેલ હોય તો તથા તે વ્યકિતભાનમાં હોય તો પુષ્કળ પ્રમાણમાં પાણી અથવા દુધ આપો. ઉલ્ટી કરાવવાનો પ્રયત્‍ન કરવો નહીં.

આપ સૌ પ્રજાજનો માટે ના.સં.દલ ખડેપગે તૈયાર છે. સીવીલ ડીફેન્સનો માસ્ટર પ્લાન અમલમાં છે તે મુજબ તમામ વાર્ડન, પોસ્ટ વોર્ડન, ડીવીઝનલ વોર્ડન બાર સેવાઓના કમાન્ડીંગ ઓફીસર,રેસ્ક્યુટીમ, ફાયર ફાઇટીંગ ટીમ, અને કેજયુલીટી ટીમ કાર્યમાં સેવારત છે.