નાગરિક સંરક્ષણ
http://www.civildefence.gujarat.gov.in

લક્ષ્‍ય અને હેતુઓ

6/14/2025 11:12:00 AM

નાગરિક સંરક્ષણ ધારો સને ૧૯૬૮માં સંસદે લાગુ પાડ્યો ત્‍યારથી નાગરિક સંરક્ષણ તંત્ર નીચે પ્રમાણે કામગીરી કરે છે.

હેતુઃ-

  • માનવીઓની યુદ્ધ દરમિયાન જિંદગી બચાવવી અને જાનમાલનું રક્ષણ કરવું.

  • માલ મિલકતને થતાં નુકસાનને અટકાવવું.

  • ઔદ્યોગિક ઉત્‍પાદનની પ્રક્રિયા-પુરવઠો જાળવી રાખવો.

લક્ષ્‍યઃ-

  • રાષ્‍ટ્રના આંતરિક સ્‍તરે યુદ્ધ દરમિ‍યાન પ્રજાજનોનો જુસ્‍સો ટકાવી રાખવો.

  • શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે ધરતીકંપ, પુર, વાવાઝોડું અને માનવસર્જિત (અકુદરતી) જેવી કે કોમી રમખાણો, રોગચાળો, મોટા અકસ્‍માત, આગ વગેરે આફતો વખતે.

  • નાગરિક સંરક્ષણ દળનું મુખ્‍ય લક્ષ્‍ય જાહેર જીવનને શક્ય બને તેટલું જલદી સામાન્‍ય કરવાનું છે અને કોઈ પણ પ્રકારની વિપરીત પરિસ્થિતિમાં આર્થિક વ્‍યવહાર ધબકતો રાખી પ્રજાના જાનમાલનું રક્ષણ કરવાનું છે.