નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં તા.૩૧/૦૫/૨૦૨૫ના રોજ “ઓપરેશન શીલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એકસસાઇઝ યોજવામાં આવેલ.
આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ એકસસાઇઝમાં હવાઇ હુમલાના સમયે નાગરિક સંરક્ષણ કંટ્રોલ રૂમ ખાતેથી સુરક્ષા એજન્સીઓને એર રેઇડનો સંદેશો મળતા નાગરિકોને ખતરા વિશે સચેત કરી તત્કાલ બચાવ કામગીરી અંગેની મોક ડ્રીલ યોજી લોકોને માહિતગાર કરવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
ભારત સરકાર મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સુચના આપતાં માન.મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં, માન.ગૃહ મંત્રીશ્રી, ચીફ સેકેટરીશ્રી, એ.સી.એસ. હોમ શ્રી, ડી.જી.પી.શ્રી સાથે તમામ જિલ્લા અધિકારીઓ સાથે મીંટીંગ કરી તા.૭ મે ૨૦૨૫ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવા સૂચના આપવામાં આવેલ.
જે અનુસંધાને સિવિલ ડીફેન્સ મોક ડ્રીલમાં સરકારના વિવિધ વિભાગો GEB, અગ્નિશામક, વન રક્ષક, PWD, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ, કલેક્ટર, પોલીસ, મ્યુનિસિપલ કમિશનર વગેરેના સહયોગથી મોકડ્રીલનું આયોજન સફળ બનાવેલ છે.
સિવિલ ડિફેન્સના પ્રશિક્ષિત વોર્ડન/સ્વયંસેવકો દ્વારા દુશ્મન વાયુસેના દ્વારા કરવામાં આવતા હવાઈ હુમલાના સમયે બ્લેક આઉટ કરી, નાગરિકોના જાન-માલના રક્ષણ માટે ફાયર ફાઇટર સાથે રહી નાગરિકોને સ્થળ પરથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે લઇ જવાની કામગીરી કરે છે. તબીબી ટીમ દ્વારા ફિલ્ડમાં સારવાર આપવામાં આવે છે. PWD દ્વારા કાટમાળ અને જર્જરિત ઇમારતો દૂર કરવામાં અને સ્થળ સાફ કરવામાં મદદ કરે છે. વન વિભાગ સ્ટાફ દ્વારા પ્રાણીઓના રક્ષણની કામગીરી કરવામાં આવે છે. પોલીસ ખાતા તથા હોમગાર્ડ દળ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવવાની કામગીરી કરવામાં આવે છે. જિલ્લાના કલેકટરની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે. પ્રજાજનોને સિવિલ ડીફેન્સ/SDRF/SRP દ્વારા યુદ્ધ દરમિયાન બચાવ કરવાની તાલીમ આપવાની કામગીરી કરવામાં આવે છે.
નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :-
નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૨૮/૦૪/૨૦૨૫ થી તા.૦૧/૦૫/૨૦૨૫ સુધી એલીસબ્રિજ જીમખાના, અમદાવાદ ખાતે બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૭૫ તાલીમાર્થીઓએ તાલીમ મેળવેલ હતી.
તાલીમ દરમિયાન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા નાગરિક સંરક્ષણ દળ અંગે વિગતવારની માહિતી આપવામાં આવેલ. ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રકટર શ્રી પી. આર. મોદીની આગેવાની હેઠળ ચીફ વોર્ડન શ્રી બાબુભાઇ ઝડફિયા, ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી હર્ષદભાઇ નાયક, સિવિલ ડીફેન્સના ટ્રેનર શ્રી જયેશ વેગળા, શ્રી મનોજભાઇ રાવલ, શ્રી બ્રિજેશભાઇ શાહ, શ્રી નિતીનભાઇ ત્રિવેદી તાલીમાર્થીઓએ તાલીમ આપેલ હતી.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
શ્રી ભારદ્વાજ આશ્રમ સેવા ટ્રસ્ટ, મંગલેશ્વર તથા કબીરવડ, તા.જી. ભરૂચ ખાતે તા.૨૩/૦૪/૨૦૨૫ ના રોજ GIDM ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંદિપ પાંડે તથા નાગરિક સંરક્ષણ દળના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ શ્રી એ.એ.શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્રેના નાગરિક સંરક્ષણ દળ અંકલેશ્વર, જિ.ભરૂચ યુનિટના અધિકારી તથા વોર્ડનો, ભરૂચ જિલ્લાના જી.આર.ડી. તથા ભરૂચ શહેર હોમગાર્ડના અધિકારી તથા સભ્યો, આશરે ૧૦૦ જેટલા સભ્યોને એડી. કલેકટર શ્રી નિલેશભાઈ દુબે તથા નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ શહેર યુનિટના ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી મનોજભાઇ રાવલ, ડેપ્યુટી ડીવીઝનલ વોર્ડન પાર્થ રાણા, પોસ્ટ વોર્ડન મનોજભાઇ પટેલ, આકાશભાઇ ટેંડુલકર તથા વોર્ડના શ્રી ગજેન્દ્રસિંહ બિહોલા દ્વારા "Holy Dipsite Safety and Disaster Preparedness in Gujarat" ની તાલીમ આપવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
શ્રી દતુદાદા પ્રાર્થના મંદિર, ચાણોદ ખાતે તા. ૧૬/૦૪/૨૦૨૫ ના રોજ GIDM ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સંદિપ પાંડે તથા નાગરિક સંરક્ષણ દળના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ શ્રી એ.એ.શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્રેના નાગરિક સંરક્ષણ દળ વડોદરા શહેર યુનિટના અધિકારી તથા વોર્ડનો, વડોદરા શહેર હોમગાર્ડના અધિકારી તથા સભ્યો,વડોદરા ગ્રામ જી.આર.ડી.ના અધિકારી તથા સભ્યો આશરે ૧૫૦ જેટલા સભ્યોને એડી. કલેકટર શ્રી નિલેશભાઈ દુબે તથા નાગરિક સંરક્ષણ દળ અમદાવાદ શહેર યુનિટના ડેપ્યુટી ડીવીઝનલ વોર્ડન પાર્થ રાણા, પોસ્ટ વોર્ડન જનકસિંહ ગોંડલીયા તથા વોર્ડન મયુરકુમાર જેઠવા દ્વારા "Holy Dipsite Safety and Disaster Preparedness in Gujarat" ની તાલીમ આપવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ દળના મહિલા તથા પુરૂષ સભ્યોએ પરેડમાં ભાગ લીધેલ. આ પ્રસંગે નાગરિક સંરક્ષણ તથા હોમગાર્ડઝના સભ્યો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતા.
આ પ્રસંગે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા નાગરિક સંરક્ષણ દળના ત્રણ સભ્યોને પ્રશંસનીય સેવા માટેના ચંન્દ્રકો તથા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા નાગરિક સંરક્ષણ દળના પાંચ સભ્યોને લાંબી/પ્રશંસનીય સેવા માટેના ચંન્દ્રકો જાહેર કરવામાં આવેલ સભ્યોને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૬ઠ્ઠી ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ સ્થાપના દિન-૨૦૨૪ ની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે માનનીય અધિક મુખ્ય સચિવ, (ગૃહ) શ્રી એમ. કે. દાસ (I.A.S.) નાઓના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ.
માનનીય અધિક મુખ્ય સચિવ (ગૃહ) શ્રી એમ. કે. દાસનાઓએ તેમના સંબોધનમાં ૬૨માં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ સ્થાપના દિનની ઉજવણીની શુભકામના પાઠવી જણાવ્યુ કે, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝના સભ્યો કુદરતી તેમજ માનવ સર્જિત આપત્તિના સમયે પોતાના જીવની પરવા કર્યા વગર પ્રજાજનોના જાનમાલની રક્ષા કરતા આવ્યા છે. આ પ્રસંગે નાગરિક સંરક્ષણના સભ્યો દ્વારા ૬૦ થી ૭૦ ફુટ ઉંચી બિલ્ડિંગ ઉપરથી રેસ્કયુ કરી લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય તેનો ડેમો જોઇ મને આનંદ થાય છે અને ભવિષ્યમાં પણ નાગરિક સંરક્ષણ દળના સભ્યો લોકોના જાનમાલની રક્ષા કરી રાષ્ટ્ર સેવાની ફરજ બજાવે તેવી શુભેચ્છા પાઠવું છું.
આ પ્રસંગે શ્રી મનોજ અગ્રવાલ (I.P.S.) ડાયરેકટર, નાગરિક સંરક્ષણ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય નાઓએ પોતાના વ્યક્તવ્યમાં જણાવેલ કે, ૬૨માં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી સૌને ઉદ્બોધિત કરતા ગૌરવની લાગણી અનુભવું છું અને આ અવસરે આપણે સમાજની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરનારા વીર પુરુષો અને સ્ત્રીઓના શર્ય, નિસ્વાર્થ સેવાભાવ અને સહનશીલતાનું ઉજવણી કરીએ છીએ. અને વધુમાં જણાવેલ કે, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ માત્ર એક સંગઠન નથી પરંતુ તે એકતા અને સ્વૈચ્છિક સેવાનું પ્રતીક છે. કુદરતી આફતો વખતે પ્રતિસાદ આપવો હોય, તાત્કાલિક પરિસ્થિતિઓ દરમિયાન મદદ કરવી હોય કે, સાવધાની અને શાંતિ જાળવવી હોય, દળના સભ્યોએ જે સમર્પણ બતાવ્યું છે તે અનન્ય છે.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષા રમતોત્સવમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર દોડ, કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચના વિજેતા સભ્યોને ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવેલ.
આ ઉજવણીની આભાર વિધી શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદ નાઓએ કરતાં સર્વે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પરેડ પ્લાટુનના પુરૂષ તેમજ મહિલા અધિકારીશ્રીઓ/કર્મચારીઓ, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ દળના સભ્યોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પુર્ણાહુતી કરેલ હતી.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં નાગરિક સંરક્ષણ તથા હોમગાર્ડઝ દળના સભ્યોએ પરેડમાં ભાગ લીધેલ. આ પ્રસંગે નાગરિક સંરક્ષણ દળના સભ્યો શ્રી જનક શુકલા, શ્રી મયુર જેઠવા, શ્રી જગદીશ પરીખ, શ્રી ગજેન્દ્ર બિહોલા, શ્રી પાર્થ રાણા, શ્રી સિરાજ શેખ ધ્વારા આપત્તિના સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા મટે કામચલાઉ લાકડાનો પુલ બનાવી ડેમોસ્ટ્રેશન કરેલ હતું.
આ પ્રસંગે ડી.જી. ડીસ્ક (૧) શ્રી અસદ એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓને સીલ્વર ડીસ્ક તેમજ (૨) શ્રી હર્ષદકુમાર એન. નાયક, (૩) ડૉ. પ્રણવ ડી. જોષી, (૪) શ્રી રૂત્વિક ડી. જોષી, (૫) શ્રી નિતીન સી. ત્રિવેદી નાઓને બ્રોઝ ડીસ્ક મળતા સન્માનિત કરવામાં આવેલ.
ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-
ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ “Flood Rescue”ની જુદી જુદી પધ્ધતિઓ તથા તા.૦૬/૦૧/૨૦૨૪ના રોજ “High rise building rescue” અંગેની તાલીમનું આયોજન જી.આઇ.ડી.એમ. તથા નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદના સહયોગથી કરવામાં આવેલ. સદર તાલીમમાં પોલીસના અધિકારી/જવાનોએ તાલીમ મેળવેલ હતી.
ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-
ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૨૦/૧૨/૨૦૨૩ના રોજ “High rise building rescue” અંગેની તાલીમનું આયોજન જી.આઇ.ડી.એમ. તથા નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદના સહયોગથી કરવામાં આવેલ. સદર તાલીમમાં પોલીસના અધિકારી/જવાનોએ તાલીમ મેળવેલ હતી.
ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર :-
ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રાયસણ, ગાંધીનગર ખાતે તા.૧૮/૧૨/૨૦૨૩ના રોજ “Flood Rescue”ની જુદી જુદી પધ્ધતિઓ અંગેની તાલીમનું આયોજન જી.આઇ.ડી.એમ. તથા નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદના સહયોગથી કરવામાં આવેલ. સદર તાલીમમાં પોલીસના અધિકારી/જવાનોએ તાલીમ મેળવેલ હતી.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
હોમગાર્ડઝ ભવન, લાલદરવાજા, અમદાવદા ખાતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને 61માં હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે 'કોફી ટેબલ બુક'નું વીમોચન તથા સી.પી.આર તાલીમ માટેના એમ.ઓ.યુ કરાયા હતા તેમજ લાંબી અને પ્રશંસનીય સેવાઓ બદલ હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ અધિકારીશ્રીઓને રજત તથા બ્રોન્ઝ મેડલ એનાયત કરાયા હતા.
આ પ્રસંગે હોમગાર્ડસ તથા સિવિલ ડિફેન્સના સભ્યો દ્વારા સેરીમોનીયલ પરેડ તેમજ હાઇ રાઇઝ બિલ્ડીંગ રેસ્ક્યુ સર્ચ ઓપરેશન, તલવારબાજી, રસ્સા ખેંચ, ડાંગી નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.
હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના 61માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જણાવ્યું હતું કે, રાજ્યના સંરક્ષણ માટે હોમગાર્ડઝનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કપરા સમયમાં જ્યારે ડોક્ટરો દર્દીઓના જીવ બચાવવાના પ્રયત્ન કરતા હતા, તેવા સમયમાં હોસ્પિટલના ગેટ પર હોમગાર્ડઝના સભ્યો તાત્કાલિક સારવાર માટે દર્દીઓના સ્ટ્રેચર ખેંચવામાં સહાયરૂપ થતા હતા. પોતાના જીવની ચિંતા કર્યા વગર દર્દીઓના જીવ બચાવવામાં હોમગાર્ડઝએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે.
અંતે તેમણે જણાવ્યું હતું કે, હોમગાર્ડઝ એ સામાન્ય પોસ્ટ નથી, એ ગુજરાત સરકારની સૌથી મહત્વની પોસ્ટ છે. જેનું રાજ્ય સરકાર અને રાજ્યના તમામ નાગરિકોને ગૌરવ છે. એજ રીતે સિવિલ ડિફેન્સના તમામ સભ્યો આગ જેવી હોનારતમાં મહત્વની કામગીરી કરીને ઊંચી ઈમારતો પરથી વ્યક્તિઓના જીવ બચાવવાની કામગીરી કરતા હોય છે. જેની રાજ્ય સરકાર સરાહના કરે છે.
આ સાથે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસે તમામ વિજેતા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ તથા તેમના પરિવારજનોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી અને આજ રીતે રાજ્યસરકાર તરફ તેમનું યોગદાન આપતા રહે અને નાગરિકોને મદદરૂપ નીવડે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય, અધિક મુખ્ય સચિવ (ગૃહ) શ્રી મુકેશ પુરી, નિયામક નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ, સંયુક્ત નિયામક નાગરિક સંરક્ષણ શ્રી ગૌતમભાઈ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ જૈન તેમજ પોલીસ અધિકારીશ્રીઓ, હોમગાર્ડઝ અધિકારીશ્રીઓ, નાગરિક સંરક્ષણના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
નાગરિક સંરક્ષણ, અમદાવાદના ટ્રેનરો દ્વારા અમદાવાદના વોલેન્ટીયર, વોર્ડનો, સ્કુલના બાળકો તેમજ એન.સી.સી.ના કેડેટસને એલીસબ્રીજ જીમખાના, અમદાવાદ ખાતે તા.૧૮/૦૮/૨૦૨૩ના રોજ “Flood Rescue”ની જુદી જુદી પધ્ધતિઓ અંગેની તાલીમ આપવામાં આવેલ. જેમાં UNESCOની ટીમ હાજર રહેલ અને તેમજ Greening School: Seeds of change- UNESCO SOER 2023 ની ડોક્યુમેન્ટ્રીમાં ઉપરોક્ત તાલીમનો સમાવેશ કરવામાં આવેલ. જેમાં ૭૫ તાલીમાર્થીઓએ તાલીમ મેળવેલ હતી.
આ સમગ્ર તાલીમનું સંચાલન નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ ધ્વારા તાલીમ આપવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
ઓગષ્ટ-૨૦૨૩ માસમાં હાઇકોર્ટના વકીલોને Civil Defence Awareness Program અંતર્ગત સીવીલ ડીફેન્સના ટ્રેનરો મારફતે તાલીમ આપવામાં આવેલ હતી. જેમાં હાઇકોર્ટના ૫૫ વકીલો ઉપસ્થિત રહેલ.
નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્ય, અમદાવાદ :-
હોમગાર્ડઝ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે ૨૬મી જાન્યુઆરી ૨૦૨૩ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં હોમગાર્ડઝ તથા નાગરિક સંરક્ષણ દળના સભ્યોએ પરેડમાં ભાગ લીધેલ. આ પ્રસંગે નાગરિક સંરક્ષણ દળના સભ્યો ધ્વારા ગેસ લીકેજ અંગેની મોકડ્રીલ પણ યોજવામાં આવેલ તેમજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક, માનનીય રાજ્યપાલશ્રીના ચંદ્રક, માનનીય મુખ્યમંત્રીશ્રીના ચંદ્રકતથાડી.જી. ડીસ્ક મેળવનાર નાગરિક સંરક્ષણ તથા હોમગાર્ડના સભ્યોને સન્માનિત કરવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
અંકુર સ્કુલ, પાલડી, અમદાવાદ ખાતે તા.૨૧/૦૧/૨૦૨૩ના રોજ “હાઇરાઇઝ બિલ્ડિંગ રેસ્કયુ ટીમ” અંગેની તાલીમ સ્કુલના ૨૦૦ વિદ્યાર્થીઓને આપવામાં આવેલ.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ તેમજ નાગરિક સંરક્ષણ, અમદાવાદ યુનીટની QRT ટીમના ઇન્ચાર્જ શ્રી બ્રિજેશ શાહતથા શ્રી મનોજભાઇ રાવળનાઓ ધ્વારા તાલીમ આપવામાં આવેલ હતી.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
ગુજરાત હોમગાર્ડ મધ્યસ્થ તાલીમ શાળા, જરોદ, વડોદરા ખાતે તા.૧૨/૦૧/૨૦૨૩ના રોજ “હાઇરાઇઝ બિલ્ડિંગ રેસ્કયુ ટીમ” અંગેની તાલીમ યોજાયેલ. જેમાં હોમગાર્ડઝ દળના ૧૫૦ સભ્યોએ તાલીમ મેળવેલ હતી.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ, નાગરિક સંરક્ષણના ટ્રેનર શ્રી મયુરકુમાર વી. જેઠવા, શ્રી મનોજકુમાર એસ. પટેલ, શ્રી પાર્થ બી. પ્રજાપતિ, શ્રી જગદીશ એન. પરીખ, શ્રી જય પી. પટેલ, શ્રી અશોક એમ. મકવાણા ધ્વારા તાલીમ આપવામાં આવેલ હતી.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ :-
ગુજરાત હોમગાર્ડ ટ્રેનીંગ સેન્ટર, માધવનગર, સાણંદ ખાતે તા.૦૬/૦૧/૨૦૨૩ના રોજ “હાઇરાઇઝ બિલ્ડિંગ રેસ્કયુ ટીમ” અંગેની તાલીમ યોજાયેલ. જેમાં હોમગાર્ડઝ દળના ૧૩૦ સભ્યોએ તાલીમ મેળવેલ હતી.
નાગરિક સંરક્ષણ તાલીમ શાળાના કમાન્ડન્ટ શ્રી એ. એ. શેખ, નાગરિક સંરક્ષણના ટ્રેનર શ્રી મયુરકુમાર વી. જેઠવા, શ્રી મનોજકુમાર એસ. પટેલ, શ્રી પાર્થ બી. પ્રજાપતિ, શ્રી જગદીશ એન. પરીખ, શ્રી જય પી. પટેલ, શ્રી અશોક એમ. મકવાણા, શ્રી વનરાજ એચ. ચૌહાણ, શ્રીમતી નિહારીકા એન. પાંડે, શ્રી સિરાજુદ્દીન બી. શેખ ધ્વારા તાલીમ આપવામાં આવેલ હતી.
નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ :-
નાગરિક સંરક્ષણ દળ, અમદાવાદ યુનીટ દ્વારા તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ ઘી કાંટા, અમદાવાદ ખાતે બેઝીક તાલીમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૩૭ તાલીમાર્થીઓએ તાલીમ મેળવેલ હતી.
તાલીમ દરમિયાન શ્રી એ. એ. શેખ, કમાન્ડન્ટ, નાગરિક સંરક્ષણ તાલીમ શાળા, અમદાવાદ દ્વારા નાગરિક સંરક્ષણ દળ અંગે વિગતવારની માહિતી આપવામાં આવેલ. સિવિલ ડીફેન્સ ટ્રેનર શ્રી હર્ષદ નાયક, શ્રી જયેશ વેગળા, શ્રી મનોજ રાવલે તાલીમાર્થીઓએ તાલીમ આપેલ હતી.
|