|
હવાઇ હુમલાની ચેતવણીઃ યુદ્વ સમય દરમ્યાન દુશ્મન દેશ દ્વારા આજના યુગમાં હવાઇ હુમલાથી યુદ્વની શકયતા વધુ છે. નાગરિક સરંક્ષણના કામે ચાર પ્રકારના હવાઇ હુમલા સંબંધી સંદેશાઓ પ્રજાજનોને હવાઇ હુમલાની ચેતવણી સારૂ સાયરનો દ્વારા પહોંચાડવાની પ્રણાલિગત અસરકારક વય્વસ્થા પચલિત છે.
-
એરરેઇડ ‘‘યલો મેસેજ‘‘ : આ સંદેશા દ્વારા સંભવિત હવાઇ હુમલા પ્રાથમિક સંદેશો ગુપ્ત રાહે સંબંધિત નાગરિક સંરક્ષણના નિયંત્રકશ્રીઓને પહોચાડવામાં આવે છે કે જેમાં હવાઇ હુમલાખોરો રાજયના અગત્યના ટાર્ગેટ વિસ્તારોમાં ત્રાટકવાની શકયતા છે. નિયંત્રકશ્રીને યોગ્ય જણાયે તાબાના અધિકારીશ્રીઓને પહોંચાડી સતર્ક કરે છે.
-
એરરેઇડ ‘‘રેડ મેસેજ‘‘ : આ સંદેશા દ્વારા દુશ્મન દેશ દ્વારા સંભવિત ટાર્ગેટ ઉપર દોઢ થી પાંચ મીનીટમાં ત્રાટકવાની સંભાવના હોય છે. અને સંદેશા મળતાની સાથે તુર્તજ પગલા લઇ એરરેઇડ વોર્નીંગ સીગ્નલ તુટક તુટક ર મીનીટના સમય માટે વગાડવામાં આવે છે. જેથી પ્રજાજનોને હવાઇ હુમલા અંગેની જાણ થતા સાવચેતીના પગલા લઇ શકે છે.
-
એરરેઇડ ‘‘ગીન મેસેજ‘‘ : આ સંદેશા દ્વારા દુશ્મન દેશના વિમાનો કોઇપણ પ્રકારના હુમલા કર્યા સિવાય જતા રહેલ છે. જેથી સાયરન ર મીનીટ સુધી સતત વગાડી પ્રજાજનોને હવાઇ હુમલાનો જોખમ નહીં હોવાની જાણ કરવામાં આવે છે.
-
એર રેઇડ ‘‘વાઇટ‘‘ મેસેજ : આ સંદેશા દ્વારા હવાઇ હુમલા બાદ પૂર્વવત શાંતિ સ્થાપવા અને જનજીવન સામાન્ય કરવાનું રહે છે.
વધુમાં હવાઇ હુમલાની શકયતા અનુલક્ષી અન્ય એક સંદેશાવ્યવહારની સુવિધા સી.ડી. કંટ્રોલ ખાતેથી હાથ ધરવામાં આવે છે. જેમાં ટેલીફોનીક મેસેજથી રાજય ખાતેના વિવિધ કેટેગરાઇઝડ ટાઉનોના ઉચ્ચ અધિકારીઓ, વીઆઇપી, વીવીઆઇપી તથા અગ્રણી નાગિરકો. પ્રતિષ્ઠિત વ્યકિતઓ તથા નાગરિક સંરક્ષણના માનદ્પદાધિકારીઓને એસ.બી.એફ.(સ્પેશ્યલ બ્રોડકાસ્ટીંગ ફેસીલીટી), જી.બી.એફ.(જનરલ બ્રોડકાસ્ટીંગ ફેસીલીટી) દ્વારા સાંકળવામાં આવે છે. જેમાં સી.ડી.કંટ્રોલ ખાતેના ટેલીફોન દ્વારા એક જ સાથે તમામ ઉપરોકત ઉચ્ચ અધિકારીને ટેલીફોનીક મેસેજથી સાંકળવામાં આવે છે.
આ ઉપરાંત યુદ્ધ સમયની આ પરિસ્થિતિમાં અંધારપટ માટેનું રિહર્સલ કરી દુશ્મન દેશનો ટાર્ગેટ નિષ્ફળ જાય તે માટે તથા પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા તથા મોટા ઔદ્યોગીક એકમો, અગત્યના સરકારી-અર્ધ સરકારી, વિધાનસભા, સચિવાલય, રાજભવન, હવાઇમથકો, વિગેરેનું રક્ષણ કરવા ખાસ પદ્ધતિ દ્વારા કેમોફલેગ કન્સીલમેન્ટ કરી રક્ષણ કરવા નાગરિક સંરક્ષણની બાર સેવાઓ તથા સ્થાનિક તંત્ર કામ લાગે છે. પ્રચાર-પ્રસાર દ્વારા પ્રજાનો જુસ્સો ટકાવી રાખવામાં આવે છે. અને કોઇ અફવા ન ફેલાય તેની તકેદારી રાખવામાં આવે છે. હોસ્પીટલો, શાળા, કોલેજો, હોટલો, સિનેમાગૃહ, ઔદ્યોગીક એકમો, ધંધારોજગાર, નાના ફેરીયાઓના ધંધારોજગાર વિગેરે જેવી આર્થિક પ્રવૃત્તિઓ સામાન્યવત ચાલું રાખવા તંત્ર કામે લાગે છે.
|