નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે પ્રજાને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવી, સેવાવારની નિમણૂકો આપી સ્વયંસેવકોની ભરતી કરી નાગરિક સંરક્ષણ દળ બનાવવાની પ્રવૃત્તિઓ છે.
શાંતિના સમયની પ્રવૃત્તિ
યુદ્ધ સમયની પ્રવૃત્તિઓ
અન્ય માહિતી
નાગરિક સંરક્ષણ તંત્રની બાર સેવા હેઠળ નિમણૂંક આપેલ સ્વયંસેવકોની માહિતી.
સીવીલ ડીફેન્સ કેટેગરાઈઝડ ટાઉનમાં બેઝીક તાલીમની વિગત દર્શાવતુ પત્રક.
સ્પેશિયલાઇઝ્ડ કોર્સની તાલીમ નાગપુર, બેંગલોર, ખાતેના તાલીમાર્થીની વિગત.
નાગરિક સંરક્ષણ તંત્રમાં ફરજ બજાવતા ચીફ વોર્ડન ની વિગત દર્શાવતુ પત્રક .
નાગરિક સંરક્ષણ તંત્રમાં સાયરનની માહિતી .
યુદ્ધ બાદની પ્રવૃત્તિઓ :
યુદ્ધ બાદ નાગરિક સંરક્ષણ તંત્રની જવાબદારી વિશેષ રહે છે. સમગ્ર તંત્ર, જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેક્ટર, એવમ્ નિયંત્રકની સીધી દેખરેખ હેઠળ અને માર્ગદર્શક હેઠળ કામ કરે છે. અને કાયદો-વ્યવસ્થા જાળવી, કોઇ પણ પ્રકારના યુદ્ધના સમયે જાનહાનીને, માલહાનિ થઈ હોય તો ટુકડીઓ બનાવી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવે છે અને કીમતી માલસામાનને કોર્ડન કરી નુકસાનનો અંદાજ કાઢવામાં આવે છે. વેલ્ફેર સેવા, સાલ્વેજ સેવા, મડદા નિકાલ સેવા, કેઝ્યુલિટી સેવા સક્રિય થઈ લોકોને રાહતસામગ્રી તથા વધુ નુકસાન ન થાય તેનાં પગલાં લઈ જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડે છે. અને સંદેશવ્યવહાર પૂર્વવત્ કરવા તથા ગટરલાઇન, પાણીલાઇન, વીજળી પુરવઠો પુર્વવત્ કરવાની કામગીરી કરવામાં આવે છે. તૂટી ગયેલા મકાનમાંથી જો કોઈ કેઝ્યુલિટી થઈ હોય તેને બચાવની કામગીરી કરવામાં આવે છે. અને આવા મકાનનો તાત્કાલિક વીજળી પુરવઠો બંધ કરવા વોર્ડન ફરજ બજાવે છે. યુદ્ધ બાદ કેઝ્યુલિટી થઈ હોય, લોકો બેઘર થયા હોય તેવી વ્યક્તિઓને તાત્કાલિક નજીકની રાહત છાવણીમાં ખસેડવામાં આવે છે. અને રોગચાળો ન ફાટે, ગંદકી ન ફેલાય તથા અફવા ન ફેલાય તે માટે વોર્ડન સેવાના સેક્ટર વોર્ડન ડોર-ટુ-ડોર સંપર્ક કરી પુર્વવત પરિસ્થિતિનું નિર્માણ કરે છે.
|